Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મહારાષ્ટ્રમાં મંદિર ખોલવા બાબતે રાજ્યપાલ કોશયારીના હસ્તક્ષેપથી શરદ પવાર નારાજ : પીએમને લખ્યો પત્ર

એનસીપી સુપ્રીમોએ રાજ્યપાલના પત્રની ભાષા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાના મુદ્દા પર રાજનીતિ ગરમાઈ છે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંગ કોશ્યારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જનતા માટે ધાર્મિક સ્થળ ખોલવા માટે હસ્તક્ષેપ કરવાનું કહ્યુ તે વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી લીધું છે.

 હવે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પણ મંદિરને લઈને  પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે. શરદ પવારે પત્ર ટ્વીટ કરતા કહ્યુ કે, માનનીય રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખીને જનતા માટે ધાર્મિક સ્થળ ખોલવા માટે હસ્તક્ષેપની માગ કરી છે.

એનસીપી અધ્યક્ષે કહ્યું કે, રાજ્યપાલ તરફથી મુખ્યમંત્રીને પત્ર લખવાની જાણકારી મને મીડિયાના માધ્યમથી મળી. શરદ પવારે પીએમને લખેલા પોતાના પત્રમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતિ અને રાજ્ય સરકાર તરફથી ભરવામાં આવેલા પગલાની ચર્ચા કરતા લખ્યું કે, પ્રદેશમાં ઘણા ધાર્મિક સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ શકે છે.

તેમણે મુંબઈના સિદ્ધિવિનાયક, પંઢરપુરના વિઠ્ઠલ મંદિર, શિરડીના સાંઈ મંદિરનું ઉદાહરણ આપતા કહ્યું કે, અહીં સામાન્ય દિવસોમાં ભારે ભીડ જોવા મળે છે. પવારે પીએમને લખેલા પત્રમા કહ્યુ કે, આ એવા સ્થાન છે, જ્યાં બે ગજની દૂરીનું પાલન કરવું અસંભવ હશે. તેણણે સાથે રાજ્યપાલના પત્રની ભાષા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે

(11:49 am IST)