Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

એન્ટીબોડીઝથી ઉભી પૂંછડીયે ભાગશે કોરોના

૩ ભારતીય કંપનીઓ બનાવી રહી છે એવી દવા

મુંબઈ, તા.૧૪: ભારતની ૩ કંપનીઓએ કોવિડ -૧૯ માટે એન્ટિબોડીઝ દવા બનાવવાની શરૂઆત કરી છે. જેના માધ્યમથી કોરોના ચેપગ્રસ્ત વ્યકિતના શરીરમાં એન્ટિબોડીઝ પહોંચાડવામાં આવશે. ભારત સીરમ્સ, ઇન્ટાસ ફાર્મા અને બાયોલોજિકલ ઇએ આ થેરાપી પર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સહયોગથી કામ શરૂ કર્યું છે. એન્ટિબોડીઝ શરીરમાં ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સની જેમ કામ કરે છે. જેમકે કે કોઈ વાયરસ રોગકારક હુમલો કરે છે, રોગપ્રતિકારક શકિત એન્ટિબોડીઝ બનાવવાનું શરૂ કરે છે. હાલમાં જે દવાઓ કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે તે માત્ર દર્દીઓમાં વાયરલ કાઉન્ટ ઘટાડે છે. જયારે એન્ટિબોડીઝ વેકસીન જેવી હોય છે. તે ફકત એન્ટિવાયરલ જ નથી, પરંતુ ચેપથી થોડા સમય માટે પ્રતિરક્ષા પણ આપે છે.

અમદાવાદમાં ઇન્ટાસ ફાર્માએ સ્વસ્થ થયેલા દર્દીઓના લોહીમાંથી એન્ટિબોડીઝ કાઢવાની યોજના બનાવી છે. કંપની એવી દવાઓ બનાવશે જે તમામ બ્લડ ગ્રુપના કોરોના દર્દીઓને આપી શકાશે. કંપનીએ મોડરેટ દર્દીઓ પર ટ્રાયલ શરૂ કરી દીધી છે અને પરિણામોની રાહ જોવાઈ રહી છે. મુંબઇના ભારત સીરમ્સ દ્યોડાના એન્ટિસેરાનો ઉપયોગ કરીને એન્ટિબોડીઝ બનાવશે. આ પદ્ઘતિનો ઉપયોગ હડકવા અને ડિપ્થેરિયા રસી બનાવવા માટે પણ થાય છે. કંપનીને આશા છે કે ટ્રાયલના પરિણામો આવતા મહિના સુધીમાં આવશે.

તાજેતરમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના ચેપ લાગ્યો હતો. તેમને મિલિટ્રી હોસ્પિટલમાં Regeneronનું એન્ટિબોડી કોકટેલ આપવામાં આવ્યું હતું. Regeneronના કો-ફાઉન્ડર, પ્રેસિડેન્ટ ઓફ ચીફ સાઈન્ટિફિક ઓફિસર જયોર્જ યાન્કોપુલસના જણાવ્યા અનુસાર, ઙ્કઅમે એક યુનિક એન્ટી-વાયરલ એન્ટિબોડીઝ કોકટેલ બનાવ્યું છે, જેમાં ચેપને રોકવા અને સારવાર કરવાની ક્ષમતા છે. સાથે વાયરસને ફેલાવાથી પણ રોકી શકે છે. આ સિવાય અમેરિકા સ્થિત બાયોટેક કંપની લ્ખ્ણુ Biotherapeuticsએ ગાયોના શરીરમાં એન્ટિબોડીઝ વિકસાવી છે. કંપનીનો દાવો છે કે ગાય દર મહિને એટલી એન્ટિબોડીઝ બનાવી શકે છે કે જે સેંકડો લોકોની સારવાર કરી શકે.

(3:46 pm IST)