Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

દિવાળીની ઉજવણી હવે કેન્દ્ર સરકારના હાથમાં : લોકડાઉન સમય દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની લોન ઉપર વ્યાજનું વ્યાજ નહીં લેવાનો નિર્ણય લીધા પછી પણ તેની જાહેરાત કરવામાં વિલંબ શા માટે ? : 2 નવેમ્બર સુધીમાં પરિપત્ર બહાર પાડી દેવા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો આદેશ

ન્યુદિલ્હી : મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન નામદાર કોર્ટએ કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે  લોકડાઉન સમય દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની લોન ઉપર વ્યાજનું વ્યાજ નહીં લેવાનો નિર્ણય લીધા પછી પણ તેની જાહેરાત કરવામાં વિલંબ શા માટે ?
કેન્દ્ર સરકારે આ પરિપત્ર પ્રસિદ્ધ કરવા માટે એક મહિનાનો સમય માંગતા નામદાર કોર્ટએ ઉપરોક્ત સવાલ કર્યો હતો તથા 2 નવેમ્બર સુધીમાં પરિપત્ર પ્રસિદ્ધ કરી દેવાનો આદેશ કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)