Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પૂંછમાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના એક JCO સહીત બે જવાન શહીદ

ડેરા કી ગલીમાં ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સૈનિકો પર હુમલો કર્યો

જમ્મુ -કાશ્મીરના પૂંછમાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના વધુ બે જવાન શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોમાં એક JCO અને એક સૈનિકનો સમાવેશ થાય છે. સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનને કારણે જમ્મુ-રાજૌરી-પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે સંપૂર્ણ માહિતી મળતી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઘાટી વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા હતા.

જમ્મુ -કાશ્મીરના પૂંછમાં સોમવારે સવારે આતંકવાદી હુમલામાં JCO સહિત 5 જવાનો શહીદ થયા બાદ એક નવો એન્કાઉન્ટરનો દોર શરૂ થયો હતો. પૂંછમાં જ સુરક્ષાદળના જવાનો દ્વારા એન્કાઇન્ટર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતા. સવારે સૈનિકો પર પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ આતંકવાદીઓના સર્ચ ઓપરેશનમાં હતા. આ દરમિયાન અચાનક આતંકવાદીઓએ જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં 5 જવાનો શહીદ થયા હતા.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે, સેનાએ સવારે ડેરા કી ગલીમાં ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, તે વિસ્તારમાં આતંકવાદીઓ છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સૈનિકો પર હુમલો કર્યો અને તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં એક જેસીઓ અને 4 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર બાદ પણ તેને બચાવી શકાયા ન હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ચમરેર વિસ્તારના જંગલોમાં આતંકવાદીઓ અંગે માહિતી મળી હતી, જેના આધારે સેનાની ટુકડી પહોંચી હતી.

સેનાના સૂત્રોનું કહેવું છે કે, આ આતંકવાદીઓએ એલઓસી પાર કરી આવ્યા હતા. હાલમાં આ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. તો આ સાથે કોંગ્રેસે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પાસે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓને રોકવા માંગ કરી છે.

(11:42 pm IST)