Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાજકોટ શહેર - જિલ્લામાં આજે કોરોનાએ 5 નો ભોગ લીધો: સરકારી-ખાનગી હોસ્પિટલમાં 2130 બેડ ખાલી

રાજકોટ  : રાજકોટ શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનથી આજે મૃત્યુ આંકમાં એકદમ ઘટાડો થયો રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જ  રાતમાં 5 દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં  રિપોર્ટ મુજબ ગઈકાલે એક પણ  મૃત્યુ જાહેર થયું નથી.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.13નાં  સવારનાં 8 વાગ્યા થી તા.14નાં  સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 5 દર્દીઓએ દમ તોડી દીધા હતો . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 2130 બેડ ખાલી છે.

(9:19 am IST)