Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

આ વર્ષે ચોખ્ખા ઘી-માવા -ડ્રાયફ્રુટની મિઠાઇની ડિમાન્ડ

કાજુ કતરી - કાજુ રોલ - અંજીર રોલ વગેરે ઓલટાઇમ ફેવરિટઃ હિન્દુ પર્વ મિઠાઇ વગર અધુરૂ

મુંબઇ,તા. ૧૪: હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. મિઠાઈ વિના તહેવારો અધૂરા છે. મિઠાઈ અને મિઠાઈના બોકસ પર 'એકસપાયરી ડેટ'દર્શાવવી સૌના હિતમાં છે. દર વર્ષની જેમ ચોખ્ખા ઘી, માવા અને ડ્રાયફ્રુટની મિઠાઈની માંગ વધુ રહી છે. ગત વર્ષની સરખામણીએ માવા અને ચોખ્ખા દ્યીની મિઠાઈમાં લગભગ ૭૦ ટકા ધંધો થયો હોવાનું જાણવા મળે છે. જોકે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળી કોર્પોરેટ ઓર્ડર ઓછા નોંધાયા છે.

છેલ્લાં બે- ત્રણ દિવસથી મિઠાઈ- ફરસાણની દુકાનોમાં મિઠાઈની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મિઠાઈ અને ફરસાણના મોટાભાગના વેપારીઓની દુકાનો પર સરકારના નિયમ મુજબ 'એકસપાયરી ડેટ'દર્શાવવામાં આવી હોવાનું જોવા મળે છે.   અમદાવાદ મિઠાઈ- ફરસાણ માવા અને દૂધ એસોસીએશનના પ્રમુખ કમલેશ કંદોઈએ જણાવ્યું હતું કે, માવાની મિઠાઈ ૨- ૩ દિવસ, ચોખ્ખા દ્યીની મિઠાઈ ૭ દિવસ, કાજુ અને ડ્રાયફ્રુટની મિઠાઈ ૧૨-૧૫ દિવસ સુધી સારી રહે છે. મિઠાઈ અને મિઠાઈના બોકસ પર 'એકસપાયરી ડેટ'દર્શાવવી ગ્રાહકોના અને વેપારીઓના હિતમાં છે. છેલ્લાં બે- ત્રણ દિવસમાં કાજુ કતરી, કોજુ રોલ, અંજીર રોલ, સહિત માવા અને ડ્રાયફ્રુટની મિઠાઈની વ્યાપક માંગ રહી છે.  દિવાળીના તહેવારોમાં મિઠાઈ ખાઈને અને ખવડાવીને સ્વાગત  કરવાની અનોખી પરંપરા છે. છેલ્લાં કેટલાંક સમયથી દિવાળીના  તહેવારોમાં ચોકલેટ અને ડ્રાયફ્રુટનો 'ક્રેઝ'જોવા મળે છે. પરંતુ આખરે મિઠાઈ એ 'મિઠાઈ'છે. હિંદુઓના તહેવારો અને પર્વ મિઠાઈ વિના અધૂરા હોય છે. કોવિડ-૧૯ને કારણે મિઠાઈની માંગ ઓછી રહેવાની શકયતા ખોટી ઠરી છે અને લોકોની ભારે ભીડને કારણે કેટલાંક મિઠાઈના ઉત્પાદકો- વેપારીઓને ત્યાં મિઠાઈ ખૂટી પડી હતી.

કાજુમાંથી બનાવાતી કાજુ કતરી દિવાળીના તહેવાર ઉપરાંત ઓલટાઈમ ફેવરીટ કાજુ કતરી ૨૦થી ૨૫ ટકા સસ્તી હોવાનું જાણવા મળે છે. મિઠાઈના વેપારીઓ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૨૦થી ૨૫ ટકા  ઓછા ભાવે કાજુ કતરી વેચી રહ્યા છે. ગત વર્ષે કાજુ કતરીનો કિલોગ્રામ દીઠ રૂ. ૧,૧૦૦ થી રૂ.૧,૩૦૦નો ભાવ હતો. જયારે ચાલુ વર્ષે કાજુતરીનો કિલોગ્રામ દીઠ ભાવ રૂ. ૯૦૦થી રૂ. ૧, ૦૦૦ છે. ચાલુ વર્ષે કાજુના ભાવ ઘટવાને પગલે ગ્રાહકોને કાજુ કતરીમાં ૨૦થી ૨૫ ટકાનું ડિસ્કાઉન્ટનો લાભ મળ્યો છે. દૂધમાંથની બનતી મિઠાઈના ભાવમાં પણ ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ઘી, પનીર, કન્ડેન્સ્ડ મિલ્ક, ખોયા કોલસો ટારની ડાઈઝઃ આ પ્રકારે બનાવેલી ડાઈઝને મિઠાઈના સેમ્પલ સાથે ૫ મિ.લિ.ના સલ્ફ્યુરિક એસિડ સંપર્કમાં આવે છે ત્યારે મિઠાઈનો રંગ ગુલાબીમાંથી ઘેરો બને છે.

ઘી, બટર, દહીં, વનસ્પતિ ઘી ૅં હાઈડ્રોકલોરિક એસિડના ૧૦ ટીપાં સાથે તેને મિકસ કરાતાં જો તેમાં ભેળસેળ હશે તો તેના રંગ લાલ થશે.

રબડી, બ્લોટિંગ પેપરઃ હાઈડ્રોકલોરિક એસિડને મિકસ કરાતાં જો મિઠાઈમાં ભેળસેળ હોય તો તેમાં ફાઈબર જોવા મળશે.

ખોયા, ચણા,  પનીરઃ આ સેમ્પલને પાણીમાં ઉકાળીને તેમાં આયોડિનના થોડાં ટીપાં મિકસ કરીને નાંખવામાં આવે તો પ્રોડકટ્સનો રંગ વાદળી- બ્લ્યુ થાય છે.

ખૂબ  ઓછી લાઈફઃ  કલાકંદ અને તેની વેરાઇટીની એક જ દિવસની લાઈફ

ઓછી લાઈફઃ દૂધની બનાવટો, બંગાળી સ્વીટ્સ, બદામ મિલ્ક, રસ ગુલ્લા, રસ મલાઈ, રાજભોગ, ચમ ચમ, સંદેશ, અનારકલી, ગોલા સંદેશ.

ટુંકી,  મધ્યમ લાઈફઃ લાડુ અને ખોયા સ્વીટ્સ, દૂધનો હલવો, મથુરાના પેંડા, બરફી, પેંડા, બુંદીના લાડુ, મોતીચુરના લાડુ, ફ્રુટ કેક, મોદક, ઘેવર, મોતી પાક.

લોંગ લાઈફ : ઘી અને ડ્રાય ફ્રુટની બનેલી મિઠાઈઓ લાંબા સમય સુધી સારી રહે છે. ડ્રાયફ્રુટના લાડુ, કાજુ કતરી, ઘેવર, શક્કરપાર, મુંગ બરફી, કાજુ કેસર બરફી, કાજુ અંજીર રોલ, કાજુ બેઝડ ગુજીયા, ચંદ્રકલા, અંજીર હલવો, કાજુ રોલ.

વેરી લોંગ લાઈફઃ મેંદા સહિત લોટમાંથી બનતી મિઠાઈ અને ચીકીનું આયુષ્ય લાંબુ હોય છે. ઘઉંના લોટમાંથી બનતા લાડુ, બેસનના લાડુ, ચણા બરફી, અંજીર- ખજૂર બરફી.

(9:46 am IST)