Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાજકોટ શહેર - જીલ્લામાં આજે કોરોનાના મૃત્યુ આંકમાં વધારોઃ ૫ મોત

કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૨૧૩૦ બેડ ખાલી : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી એક પણ મૃત્યુની નોંધ નહિ

રાજકોટ, તા.૧૪: શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૫ દર્ર્દીનાં મોત થયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઈકાલે એક પણ મૃત્યુ જાહેર થયું નથી.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૩ના સવારનાં ૮ વાગ્યા થી તા.૧૪ના સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જિલ્લાના ૫ દર્દીઓએ દમ તોડી દીધો હતો .

  • તંત્રનાં ચોપડે એક પણ મૃત્યુની નોંધ નથી

જયારે  સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી એક પણ મૃત્યુની નોંધ જાહેર થઇ નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૩૦  બેડ ખાલી છે.

(2:38 pm IST)