Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

શરદ પવારના ટોચના સાથીદારો પર બળાત્કારની ફરિયાદ : તો પણ પ્રધાનપદું નહીં છોડે : કોર કમિટીની મોડી રાત સુધી ચાલેલ મિટિંગમાં લેવાયેલો નિર્ણય

 મુંબઈ ખાતે મોડી રાત સુધી ચાલેલ શરદ પવારના એનસીપી પક્ષની કોર કમિટીની બેઠકમાં પક્ષના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન ધનંજય મુંડે વિરૂદ્ધ એક મહિલાએ બળાત્કારના આક્ષેપો કર્યા હોવા અંગે ચર્ચા થઇ હતી. પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રના પૂર્વ મંત્રી પ્રફુલ્લ પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી જેમાં શરદ પવાર પણ જોડાયા હતા. આ જ મહિલા દ્વારા બીજા નેતાઓ ઉપર પણ હની ટ્રેપના આવા જ આક્ષેપો થયાનું કેટલાક નેતાઓએ જણાવ્યું હતું.

(12:30 pm IST)