Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

UAPA, રાજદ્રોહ કેસ : ઉત્તરાખંડની અદાલતે પૂર્વ પત્રકાર, કાર્યકર પ્રશાંત રાહીને ધરપકડના 14 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા : માઓવાદી હોવાનો આરોપ સાબિત ન થયો


ઉત્તરાખંડ : ઉત્તરાખંડની એક અદાલતે તાજેતરમાં ભૂતપૂર્વ પત્રકાર અને કાર્યકર્તા પ્રશાંત રાહીને માઓવાદી હોવાના આરોપમાંથી મુક્ત કર્યા હતા, તેની ધરપકડના ચૌદ વર્ષ પછી મુક્ત કર્યા છે.

ઉધમ સિંહ નગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પ્રેમ સિંહ ખિમલે રેકોર્ડની તપાસ કર્યા પછી જોયું કે ફરિયાદી પક્ષ આરોપીના અપરાધને સાબિત કરવામાં અસમર્થ હતો.
 

રાહી અને અન્ય ત્રણ પર ભારતીય દંડ સંહિતાની કલમ 121 (રાજ્ય સામે યુદ્ધ છેડવું), 121A, 124A (રાજદ્રોહ), 153B (રાષ્ટ્રીય એકીકરણ માટે પ્રતિકૂળ નિવેદનો), 120B (ગુનાહિત કાવતરું) અને કલમ 20 ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની આતંકવાદી ગેંગના સદસ્ય હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

 

આ નિર્ણય પણ પુરાવામાં રહેલા વિરોધાભાસને આધારે હતો. ન્યાયાધીશે ધ્યાન દોર્યું કે જોકે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી પ્રતિબંધિત સાહિત્ય મળી આવ્યું છે, તેમ છતાં, તેઓ એ દર્શાવવામાં અસમર્થ હતા કે તે ખરેખર પ્રતિબંધિત સૂચિમાં છે.

આવી વિસંગતતાઓના આધારે,  કોર્ટે આરોપોમાં કોઈ યોગ્યતા શોધી ન હતી અને ચાર આરોપીઓને નિર્દોષ છોડી દીધા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:06 pm IST)