Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જમ્‍મુ-કાશ્‍મીરમાં કોરોના કેસ વધતા વિકેન્‍ડ કફર્યુ

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ, તા. ૧પ : જમ્‍મુ કાશ્‍મીરમાં કોરોના કેસ વધતા તંત્ર દ્વારા વિકેન્‍ડ કફર્યુ લાગુ કરી દીધુ છે જો કોરોના કેસ ન ઘટે તો લોકડાઉન પણ લાદી શકાય છે.
મુખ્‍ય સચિવ ડો. અરૂણકુમાર મેહતાએ જણાવ્‍યું છે કે, રાત્રીના ૯ થી સવારના ૬ સુધી રાત્રી કફર્યુ અમલમાં છે. ત્‍યારે કેસ ન વધે તે માટે હોલ, થિયેટર, મલ્‍ટીપ્‍લેકસ, રેસ્‍ટોરન્‍ટ, કલબ, જીમ અને સ્‍વીમીંગ પુલમાં રપ ટકા લોકોને પરમીશન અપાય છે.

 

(3:58 pm IST)