Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ચંદ્રશેખર રાવણે અખિલેશ યાદવને ગણાવ્યા દલિત વિરોધી : સમાજવાદી પાર્ટી સાથે જોડાણ નહીં કરીએ

અખિલેશ યાદવ સામાજિક ન્યાયને સમજતા નથી.અમે ભાજપને રોકવા માંગીએ છે પણ અખિલેશ યાદવને દલિતોની જરુર નથી.

નવી દિલ્હી : આજે ચંદ્રશેખર રાવણે કહ્યુ હતુ કે, અમારી વચ્ચે જોડાણ થઈ શકયુ નથી. ઘણા મુદ્દા પર વાત થઈ હતી પણ બંને પાર્ટીઓ વચ્ચે સંમતિ બની નહોતી.જો સરકાર બની હોત તો પણ અમારા પ્રતિનિધિ તેમાં ના હોત.અખિલેશ યાદવ સામાજિક ન્યાયને સમજતા નથી.અમે ભાજપને રોકવા માંગીએ છે પણ અખિલેશ યાદવને દલિતોની જરુર નથી.અમને અપમાનિત કરવામાં આવ્યા છે

   ચંદ્રશેખરે કહ્યુ હતુ કે, અખિલેશ યાદવનો આજ સુધી ફોન આવ્યો નથી.અમે એક મહિના સુધી તેમની સાથે વાતચીત કરી હતી.તેમણે નક્કી કરી લીધુ છે કે, દલિતોની નેતાગીરી ઉભી થવા દેવી નથી.અમે નક્કી કર્યુ છે કે, સમાજવાદી પાર્ટી સાથે હવે જોડાણ નહીં કરીએ.દલિત સમાજ પોતાની લડાઈ જાતે લડશે.

(9:25 pm IST)