Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મહારાષ્‍ટ્રના જલગાંવમાં ભીષણ અકસ્‍માત : ૧૬ના મોત

અનેકને ઇજા : મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલાયા

મુંબઈ તા. ૧૫ : મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવારની મોડી રાતે એક માર્ગ અકસ્‍માતમાં ૧૬ લોકોના ઘટના સ્‍થળે જ દર્દનાક મોત થઈ ગયા છે જયારે ઘણા લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. સૂચના મળતાં જ પહોંચેલી પોલિસે શબોને કબ્‍જામાં લઈને પોસ્‍ટમોર્ટમ માટે મોકલાવ્‍યા. વળી, ઘાયલોને હોસ્‍પિટલ મોકલવામાં આવ્‍યા છે જયાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ઘાયલોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. પોલિસ સમગ્ર મામલાની આગળની કાર્યવાહી કરી રહી છે.આ દૂર્ઘટના જલગાંવના યાવલ પાસેની છે. માહિતી મુજબ ગઈ મોડી રાતે પપૈયાથી ભરેલી ટ્રક રાવેલ તરફથી જઈ રહી હતી. યાવલ પાસે પહોંચતા જ ટ્રક અનિયંત્રિત થઈ ગઈ અને પલટી ગઈ. દૂર્ઘટનામાં ટ્રકમાં સવાર ૧૬ લોકોના ઘટના સ્‍થળે જ મોત થઈ ગયા. બે જણ ગંભીર રીતે ઘાયલ જણાવાઈ રહ્યા છે. ઘટનાની સૂચના મેળવીને પહોંચેલી પોલિસે શબોને બહાર કાઢીને તેમને પોસ્‍ટમોર્ટમ માટે મોકલ્‍યા.

 

(4:26 pm IST)