Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

અજમેર શરીફ દરગાહ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ચાદર મોકલી : અલ્પ સંખ્યક મંત્રી અબ્બાસ નીકવીના હસ્તે મોકલાયેલી ભગવા કલરની ચાદર ખ્વાજા મોઇનુદીન ચિસ્તીની દરગાહ ઉપર ચડાવાશે

અજમેર : અજમેર શરીફ દરગાહ માટે  ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભગવા કલરની ચાદર મોકલી છે.અલ્પ સંખ્યક મંત્રી અબ્બાસ નીકવીના હસ્તે મોકલાયેલી આ ચાદર ખ્વાજા મોઇનુદીન ચિસ્તીની દરગાહમાં ઉજ્વાનારા 809 મા ઉર્સ પ્રસંગે ચડાવાશે .

ઉલ્લેખનીય છે કે દરગાહમાં દર વર્ષે ઉજવાતા ઉર્ષ પ્રસંગે ચાદર ચડાવવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે.જે અંતર્ગત દરેક રાજકીય પક્ષો દ્વારા ચાદર ચડાવવામાં આવે છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:22 pm IST)