Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

દિલ્હીમાં કોરોનાનો કહેર વધ્યો : કેજરીવાલ એક્શન મોડમાં : કાલે લેફ્ટનન્ટ ગવર્નર સાથે સમીક્ષા બેઠક

આરોગ્યપ્રધાન, મુખ્યસચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે: નાઈટ કર્ફ્યુની અટકળ

નવી દિલ્હી : દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 15 એપ્રિલે સવારે 11 વાગ્યે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સાથે સમીક્ષા બેઠક કરશે અને રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. દિલ્હીમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. દિલ્હીમાં કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની જેમ નાઈટ કર્ફ્યુ લાગી શકે છે. ઉપરાજ્યપાલ સાથે બેઠક કર્યા બાદ મુખ્યપ્રધાન કેજરીવાલ 12 વાગ્યે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે આરોગ્યપ્રધાન, મુખ્યસચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે

(12:00 am IST)