Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનાર વધુ : છેલ્લાં 24 કલાકમાં 3.26 લાખ કેસ: એક્ટિવ કેસમાં સતત ચોથા દિવસે ઘટીને 37 લાખથી ઓછા : વધુ 3,52 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા :વધુ 3876 લોકોના મોત : મૃત્યઆંક 2,66 લાખને પાર

સૌથી વધુ કર્ણાટકમાં 41,779 કેસ,મહારાષ્ટ્રમાં 39,923 કેસ, કેરળમાં 34,694 કેસ, તામિલનાડુમાં 31,892 કેસ, આંધ્રપ્રદેશમાં 22,018 કેસ, પશ્ચિમ બંગાળમાં 20,846 કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,647 કેસ, રાજસ્થાનમાં 14,289 કેસ, ઓરિસ્સામાં 12,390 કેસ, હરિયાણામાં 10,608 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો પણ હવે તેમાં પણ ઘટાડો થઇ રહયો છે 

દેશમાં કોરોનાનાં 3.37 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3.26,014 લાખ નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 3,26.014 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3876 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.66,229 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,26,014 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,43,72,243 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 36,79,573એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,52,850 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  2,04,26,323 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કર્ણાટકમાં 41,779 કેસ નોંધાયા છે જયારે મહારાષ્ટ્રમાં 39,923 કેસ, કેરળમાં 34,694 કેસ, તામિલનાડુમાં 31,892 કેસ, આંધ્રપ્રદેશમાં 22,018 કેસ, પશ્ચિમ બંગાળમાં 20,846 કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,647 કેસ, રાજસ્થાનમાં 14,289 કેસ, ઓરિસ્સામાં 12,390 કેસ,  હરિયાણામાં 10,608 કેસ નોંધાયાછે

(9:37 am IST)