Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ઇસ્લામાબાદ એરપોર્ટ પર સ્નિફર શ્વાન કોરોના-દર્દીઓની ઓળખ કરશે

ઇસ્લામાબાદ,તા. ૧૫ : અહીંના ઇન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓએ નક્કી કર્યું છે કે દેશના આ પાટનગર શહેરમાં આવતા પર્યટકોમાંના કોણ કોરોના વાયરસના રોગીઓ છે એને ઓળખી કાઢવા માટે તેઓ સ્નિફર કૂતરાઓની મદદ લેશે. એરપોર્ટના એક સિનિયર અધિકારીએ 'ડોન ન્યુઝ'ને આ જાણકારી આપી હતી.

અધિકારીએ કહ્યું કે તાલીકબધ્ધ, સ્નિફર શ્વાન ચેપગ્રસ્ત વ્યકિતઓમાંથી આવતી ગંધ સૂંઘીને કોરોનાવાયરસ ચેપને ઓળખી કાઢશે. આ કૂતરાઓનો ઉપયોગ કોવિડ -૧૯ ચેપની ઓળખ કરવા માટે પૂરક સ્ક્રીનિંગ સાધન તરીકે કરવામાં આવશે.

(10:36 am IST)