Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગંગા નદીમાંથી મળેલી ર૦૦૦ લાશનો મામલો

જેઓ કહેતા હતા 'મા ગંગાને બુલાયા હૈ, ઉસને મા ગંગા કો રૂલાયા હૈ...' રાહુલ ગાંધી

નવી દિલ્હી : કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે જેઓ એવું કહેતા હતા કે મા ગંગાને બુલાયા હૈ, હવે તેઓ જ મા ગંગાને રડાવ્યા છે.... રાહુલે પોતાના ટવીટ થકી સીધો પી.એમ. મોદી પર પ્રહાર કર્યો છે. યુપીના અનેક શહેરોમાં સ્થિતિ ગંભીર છે અને ગંગા કિનારે પાણીમાં લાશો જોવા મળી રહી છે. અત્રે એ નોંધનીય છે કે ૧૧૪૦ કિ.મી.ના પટામાં  ર૦૦૦થી વધુ લાશો મળી આવી છે. આ લાશની તસ્વીરો સોશીયલ મીડીયામાં પણ વાયરલ થઇ છે.

(4:09 pm IST)