Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં રાહત : છેલ્લા 24 કલાકમાં 6430 કેસ નોંધાયા : વધુ 337 લોકોના મોત : વધુ 11,592 દર્દીઓ રિકવર થયા

કુલ કેસ વધીને 13 લાખ 87 હજાર 411 થયા :મૃત્યુઆંક 21 હજાર 244 પર પહોંચી ગયો

નવી દિલ્હી : દેશનું પાટનગર દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 6430 નવા કેસ નોંધાયા છે અને આ વાયરસને કારણે 337 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 11 હજાર 592 લોકો સ્વસ્થ્ય થયા છે. દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 66 હજાર 295 છે.

દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર રાજ્યમાં રાજ્યના કુલ કોરોના કેસ વધીને 13 લાખ 87 હજાર 411 થયા છે. આ સાથે જ સારવાર બાદ 12 લાખ 99 હજાર 872 દર્દીઓ સાજા થયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મૃત્યુઆંક 21 હજાર 244 પર પહોંચી ગયો છે.

(12:49 am IST)