Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ભારતમાં કોરોના રસી આપ્યા બાદ પહેલા મોતની પુષ્ટિ : ત્રણ લોકોને થઈ હતી એનાફિલેક્સીસની સમસ્યા

કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલે કર્યો ખુલાસો

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ રસીને જ સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે અને દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલે ભારતમાં કોરોના રસી આપ્યા બાદ પહેલા મોતની પુષ્ટિ કરી છે

હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારની પેનલના રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે રસી લીધા બાદ 68 વર્ષના એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. વૃદ્ધને 8 માર્ચ 2021ના રોજ રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. જેના થોડા દિવસ બાદ તેમનું મોત થયું હતું.

રિપોર્ટ મુજબ 5 ફેબ્રુઆરીથી 31 માર્ચની વચ્ચે કોવિડ-19 રસી લેનારા લાખો લોકોમાંથી 3 લોકોને રસીના કારણે એનાફિલેક્સીસની સમસ્યા થઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું. ગંભીર આડઅસરની સરકારી સમીક્ષા મુજબ તે કોરોના વાયરસ રસી સંલગ્ન હોઈ શકે છે.

(1:43 pm IST)