Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સુપર ટેકના ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ટ્વીન ટાવર્સને તોડી પડાશે : 600 કિલો વિસ્ફોટકનો થશે ઉપયોગ

ત્રણ મિનિટમાં જ બે ટાવર એપેક્સ અને સાયન ધૂળમાં ભળી જશે : ટાવર્સને તોડી પાડવા બનાવાયેલ 46 લોકોની ટીમમાં છ વિદેશી નિષ્ણાતો પણ સામેલ

નવી દિલ્લી તા.14 : NCRના સેક્ટર 93A સ્થિત ટ્વિન ટાવર્સમાં વિસ્ફોટક ફિક્સિંગ શરૂ થઈ ગયું છે. આ કામ 32માં માળેથી શરૂ કરવામાં આવ્યું છે, જેથી કોર્ટના આદેશ મુજબ સમય મર્યાદામાં તેને તોડી શકાય. કહેવામાં આવી રહ્યું છે કે, 600 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવશે. તે માત્ર 30 સેકન્ડ લેશે.

ટ્વીન ટાવર્સને તોડી પાડવા માટે અધિકૃત કંપની એડિફાઇ એન્જિનિયરિંગના અધિકારી ઉત્કર્ષ મહેતાના જણાવ્યા અનુસાર, 46 લોકોની ટીમમાં છ વિદેશી નિષ્ણાતો પણ સામેલ છે. 28 ઓગસ્ટની બપોરે નોઈડાના સુપરટેકના ગેરકાયદેસર રીતે બનેલા ટ્વિન ટાવરને તોડી પાડવા માટે રવિવાર સુધી લગભગ 600 કિલો વિસ્ફોટક તૈનાત કરવામાં આવ્યું છે.બંને ટાવરમાં દરેક ફ્લોર પર ટેકનિકલી રીતે બનાવેલા સેંકડો છિદ્રોમાં કુલ ત્રણ હજાર સાતસો કિલોગ્રામ વિસ્ફોટકો ખાસ ભરવામાં આવશે. આ વાયર દ્વારા વિસ્ફોટક ભરવામાં આવ્યા હશે.

ઉત્કર્ષ મહેતાએ કહ્યુ હતું કે,ત્રણ મિનિટમાં, આ બે ટાવર એપેક્સ અને સાયન ધૂળમાં ભળી જશે. પરંતુ આ 103 મીટર ઊંચા 32 માળના ટાવર માત્ર કહેવા માટે ધૂળમાં જ જોવા મળશે. કારણ કે, તેમનો કાટમાળ લગભગ 30 મીટર એટલે કે ચાર માળથી ઊંચો હશે. તેને બહાર કાઢવામાં ખાસ્સા દિવસો નિકળી જશે.

ધૂળ પણ સેંકડો મીટર ઉપર ઊછળશે અને ચારે બાજુ ફેલાઈ જશે. તેના નિયંત્રણ માટે Jio ફાઈબર શીટ્સ લગાવવામાં આવી છે. વૃક્ષોના છોડને કાળી અને સફેદ લીલી ચાદરથી ઢાંકી દેવામાં આવ્યા છે.તેના ઉપરના માળેથી વિસ્ફોટકો લગાવવાનું શરૂ થયુ છે. હવે આટલી વખત મુલતવી રાખ્યા બાદ આ વખતે 4 સપ્ટેમ્બર સુધીમાં તોડી પાડવાની કામગીરી પૂર્ણ થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ડિમોલિશનનું ટેકનિકલ કામ જોઈ રહેલી કંપનીના જણાવ્યા અનુસાર વિસ્ફોટકો લગાવવાનું કામ દરરોજ 12 કલાક કરવામાં આવશે. આ કાર્ય કોઈપણ અડચણ, કે જાન-માલની નુકશાની વિના થાય તેવી ઈચ્છા સાથે. ટ્વીન ટાવર સંકુલમાં પૂજા કર્યા બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ વિસ્ફોટકો લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, 27 ઓગસ્ટ સુધીમાં વિસ્ફોટકો લગાવવાની અને સર્કિટની સાથે ડિમોલિશનની તૈયારીઓ પૂર્ણ કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

ટેકનિકલ જાણકારોના મતે તો જ કામગીરી થશે. કારણ કે 27 ઓગસ્ટ સુધીમાં બધું પૂર્ણ કરવું એ પોતાનામાં જ એક જબરદસ્ત પડકાર છે. કેટલીક ટેકનિકલ બાબત હશે અને કેટલીક હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે અને બાકીનો વહીવટની ચપળતા પર પણ નિર્ભર રહેશે. અનુમાન મુજબ સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ 4 સપ્ટેમ્બર પહેલા ટાવર તોડવાની યોજનાનો અમલ પૂર્ણ થઈ જશે.

 

(10:11 pm IST)