Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

છતીસગઢમાં વરસાદમાં દિવાલ પડતા એક જ પરિવારના પ વ્યકિતના મોત

છતીસગઢ તા. ૧પ :.. છતીસગઢમાં ભારે વરસાદના કારણે મકાનની દિવાલ તૂટી પડતા એક જ પરિવારના પ વ્યકિતનાં  મોત થયા હતાં.

છતીસગઢના અનેક જીલ્લામાં શનીવારે સાંજે ભારે વરસાદ પડયો હતો. જેના કારણે મહા નદી, શિવનાથ, ઇન્દ્રાવતી જેવી નદીઓમાં ભારે પુર આવતા અનેક ગામડાઓમાં પુરની પરિસ્થિતિ સજાઇ હતી.

(5:49 pm IST)