Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

આર્થિક સમસ્‍યાના નિરાકરણ માટે સ્‍નાન કરતી વખતે ઇસ્‍ટદેવનું સ્‍મરણ કરોઃ સૂર્યદેવને જળ અર્પણ કરીને મંત્ર જાપ કરવાથી પાપમાંથી મુક્‍તિ મળે

જ્‍યોતિષ શાષા મુજબ નિયમિત સ્‍નાન કરવાથી પૈસાની અછત દૂર થાય

નવી દિલ્હીઃ કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ ઇચ્છતો નથી કે તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જીવનમાં ભૌતિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમારી પાસે પૈસા હોવું ખૂબ જરૂરી છે..પૈસા તો હાલના સમયમાં વ્યક્તિ ની પ્રથમ જરૂરીયાત છે.. જીવનમાં કોઈને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો ગમતો નથી.

વ્યક્તિ ને ઘણી વખત આર્થિક સંકટનો સામનો કરવો પડે છે:

જો કે ઘણી વાર પરિસ્થિતિ એવી બની જાય છે કે આપણે ઇચ્છતા હોય તો પણ પૈસાની અછત લાગે છે. તમારી સામે ક્યારે પણ આવી પરિસ્થિતિ આવે તો તે અંગે જ્યોતિષ શાસ્ત્રમાં તેના વિશે ઉપાય છે.

ઉપાય કરવાથી તમને ક્યારે પણ નહીં થાય આર્થિક મુશ્કેલી:

જ્યોતિષશાસ્ત્રના અનુસાર સ્નાન થી શરીર સ્વચ્છ રહે છે. તેની સાથે આપણા શરીરમાં થતી બિમારીઓથી પણ બચી શકાય છે. જ્યોતિષ અનુસાર નિયમિત પણ સ્નાન કરવાથી ઘરમાં પૈસાની અછત પણ દૂર થાય છે. શાસ્ત્રોના અનુસાર પ્રાચીન સમયમાં નદીમાં સ્નાન કર્યા બાદ ઋષિમુની સૂર્યદેવને જળ અર્પણ કરીને મંત્રનો જાપ કરે છે. કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.

સ્નાન કરતા સમયે પોતાના ઈષ્ટ દેવ નું સ્મરણ કરો:

તમે પણ સ્નાન કરતા સમયે પાણીની ડોલ ભરી લો. તેના પછી તર્જની આંગળી અને અંગુઠા થી ત્રિભુજ નું ચિહ્ન બનાવી હ્રીં શબ્દો લખો. તેના પછી પોતાના ઈષ્ટ દેવ નું સ્મરણ કરો. કરવાથી તમારી સમસ્યા દૂર થશે.

તમારા ભાગ્ય નું તાળું ખુલી જશે:

ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી  જળસ્મિન્નિધિ કુરુ !! નો જાપ કરો. જાપ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે. અને તમારી કિસ્મત નું તાળું પણ ખુલશે.

(4:52 pm IST)