Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત પછી તરત જ અભિનેતા સોનુ સૂદની ઓફીસ સહિત મુંબઈ, લખનૌના ૬ સ્થળોએ આઇટી દરોડા

ઇન્કમટેક્સ ઓફિસરો આજે બપોરે અભિનેતાના પરિસરમાં પહોંચ્યા, ત્યારે દરરોજની જેમ તેના દરવાજે મદદ માંગતા લોકોની ભીડ જોવા મળી હતી.

"સોનુ સૂદની કંપની અને લખનૌ સ્થિત રિયલ એસ્ટેટ કમ્પની  વચ્ચે તાજેતરમાં થયેલો સોદો તપાસ હેઠળ છે. આ સોદા પર કરચોરીના આરોપો સબબ સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે," આવકવેરા વિભાગના સૂત્રોએ દાવો કર્યો છે.

સોનુ સૂદ પર આઇટી દરોડા પડવાની આ પહેલી ઘટના નથી.  ૨૦૧૨ માં કથિત કરચોરીના મુદ્દે બોલીવુડમાં દરોડા પાડવામાં આવેલા તેમાં સોનુ પણ સામેલ હતો.

વિપક્ષી રાજકારણીઓએ આજના દરોડાને અભિનેતાની તાજેતરની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત સાથે જોડેલ છે. જોગાનુજોગ કેજરીવાલે સુદને રાજધાની દિલ્હીમાં શાળાના વિદ્યાર્થીઓ માટે તેમની સરકારના માર્ગદર્શન કાર્યક્રમ માટે બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા હતા.

(10:50 pm IST)