Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ભારત-કાશ્‍મીરને હચમચાવવાનું ષડયંત્ર તૈયાર થયું : ૨૦૦ લોકોનું હિટ લિસ્‍ટ

ISIએ POKમાં યોજી ત્રાસવાદી સંગઠનો સાથે બેઠક : ભારત વિરૂધ્‍ધ ખોફનાક પ્‍લાન ઘડાયો : વીવીઆઇપીઓની હત્‍યા કરી ખળભળાટ મચાવવા પ્રયાસ થશે : બીન કાશ્‍મીરી-ભાજપ-સંઘ સાથે જોડાયેલા લોકોને ટારગેટ બનાવાશે

નવી દિલ્‍હી,તા. ૧૫ : પાકિસ્‍તાનની ગુપ્‍તચર એજન્‍સી ISI અને અનેક ત્રાસવાદી સંગઠનના નેતાઓએ હાલમાં જ એક મીટીંગ યોજી હતી. આ બેઠક POKમાં મળી હતી જેમાં ભારત અને જમ્‍મુ-કાશ્‍મીરને કઇ રીતે હચમચાવી શકાય તેના પર ચર્ચા થઇ હતી.
પાકિસ્‍તાને ભારત વિરુદ્ધ વધુ એક ભયાનક ષડયંત્ર રચ્‍યું છે. હકીકતમાં પાક અધિકૃત કાશ્‍મીર (PoK) માં આઈએસઆઈના ઓફિસરો અને આતંકવાદી ગ્રુપ સાથે મીટિંગમાં નક્કી કરવામાં આવ્‍યું છે કે કાશ્‍મીરમાં ટાર્ગેટ કિલિંગને ગતિ આપવામાં આવશે. તેની જવાબદારી લેવા માટે એક નામથી એક આતંકવાદી સંગઠન તૈયાર કરવામાં આવ્‍યું છે. તેના દ્વારા દુનિયાને તે સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે કાશ્‍મીરમાં શાંતિ સ્‍થાપિત થઈ નથી.
ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર સપ્‍ટેમ્‍બરના અંતિમ સપ્તાહમાં PoK ના મુઝફ્‌ફરાબાદમાં આઈએસઆઈના ઓફિસરોએ આતંકી જૂથની સાથે બેઠક કરી અને કાશ્‍મીરમાં એક નવી આતંકવાદી ગેંગ તૈયાર કરવાનો નિર્ણય કર્યો. આ ગ્રુપનું કામ પોલીસના ખબરીઓ, સુરક્ષાદળોની સાથે કામ કરના, ગુપ્ત વિભાગોમાં કામ કરનાર કાશ્‍મીરિઓની હત્‍યા કરવાનું હશે. આ ગેંગ બિન કાશમીરી લોકો, ભાજપ અને રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથો જોડાયેલા લોકોની હત્‍યા કરશે.
આ સિવાય આઈએસઆઈએ શરૂઆતી ૨૦૦ લોકોનું એક હિટ-લિસ્‍ટ પણ તૈયાર કર્યું છે જેની હત્‍યાથી સનસની ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમાં ઘણા કાશ્‍મીરી પંડિતના નામ પણ સામેલ છે, જે પંડિતોની દ્યર વાપસીને લઈને સક્રિય છે.આ સિવાય બીન કાશ્‍મીર લોકો, ભાજપ-સંઘ સાથે જોડાયેલા લોકોને ટારગેટ કરવા ષડયંત્ર રચાયું છે. આ લોકોને ટારગેટ કરી સનસની ફેલાવાશે.
નવી ગેંગ આ હત્‍યાઓની જવાબદારી લેશે જેથી તે સંદેશ આપી શકાય કે આ આતંકવાદી સ્‍થાનીક કાશ્‍મીરી છે. હત્‍યાઓ માટે આ આતંકીઓનો ઉપયોગ કરવામાં આવશે, જે હજુ સુધી સુરક્ષાદળોની નજરમાં નથી. તે માટે મોટી સંખ્‍યામાં એવા કાશ્‍મીરીઓનો ઉપયોગ કરવામાં આવશે જે આતંકીઓ પ્રત્‍યે હમદર્દી રાખે છે પરંતુ લાંબા સમયથી કોઈ ઘટનામાં સામેલ નથી. થોડા દિવસ પહેલા તહેવાર દરમિયાન કાશ્‍મીરમાં હિન્‍દુ મંદિરો પર હુમલાના ષડયંત્રની સૂચના મળી હતી.
ગુપ્ત સૂત્રોનું માનવુ છે કે આતંકવાદી હવે સુરક્ષાદળો પર મોટા હુમલાની જગ્‍યાએ ઓછા લોકો પર હુમલો કરવાની રણનીતિ પર કામ કરી રહ્યાં છે.


 

(10:18 am IST)