Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કલકત્તા હાઇકોર્ટે બીજેપી લીડર કૈલાસ વિજયવર્ગીયના આગોતરા જામીન મંજુર કર્યા : મહિલા ઉપર હુમલા મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ હોવાથી 25 ઓક્ટોબર સુધી આગોતરા જામીન મંજુર

કોલકત્તા : કલકત્તા હાઇકોર્ટે બીજેપી લીડર કૈલાસ વિજયવર્ગીય તથા આરએસએસના બે કાર્યકરો જિસ્નુ બાસુ તથા પ્રદીપ જોશીના આગોતરા જામીન મંજુર કર્યા છે.

એક મહિલા ઉપર હુમલો કરવા બાબતે સુપ્રીમ કોર્ટમાં તેઓ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. જેની સુનાવણી 20 ઓક્ટોબરના રોજ થવાની શક્યતા છે.તેથી જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ કૌસિક ચંદાની બેન્ચએ આરોપીઓના આગોતરા જામીન 25 ઓક્ટોબર સુધી મંજુર કર્યા છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:00 pm IST)