Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ડો.આંબેડકરના પૂતળા ઉપર છાણ અને કચરો ફેંકનાર 4 આરોપીઓના જામીન દિલ્હી હાઇકોર્ટે ફગાવ્યા : 15 ઓગસ્ટના રોજ એક પ્લોટમાં મુકાયેલા ડો.આંબેડકરના પૂતળા પાસે ધ્વજ ફરકાવતી વખતે હુમલો કર્યાનો આરોપ : વિવાદિત જમીન ઉપર પૂતળું મૂક્યાનો આરોપીઓનો બચાવ

ન્યુદિલ્હી : ડો.આંબેડકરના પૂતળા ઉપર છાણ અને કચરો ફેંકનાર 4 આરોપીઓના જામીન દિલ્હી હાઇકોર્ટે ફગાવ્યાછે.તેમના ઉપર 15 ઓગસ્ટના રોજ એક પ્લોટમાં મુકાયેલા ડો.આંબેડકરના પૂતળા પાસે ધ્વજ ફરકાવતી વખતે હુમલો કર્યાનો આરોપ છે.તેમજ મહિલાઓની મર્યાદાનો પણ ભંગ કરવાનો તથા પછાત જ્ઞાતિની લાગણી દુભાવવાનો આરોપ છે.

નામદાર કોર્ટે સ્થળ ઉપર લેવાયેલા વિડીઓનું નિદર્શન જોયા પછી જણાવ્યું હતું કે આ સ્થળે ચારે આરોપીઓ જોવા મળ્યા છે.તેમને હાલની તકે જામીન આપી શકાય તેમ નથી.

આરોપીએ બચાવ કરતા જણાવ્યું હતું કે વિવાદિત પ્લોટ ઉપર પૂતળું મૂક્યું છે.જે વ્યક્તિગત પૂર્વગ્રહ તથા દુશ્મનાવટને કારણે છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(1:01 pm IST)