Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

દેશદ્રોહના આરોપસર કનૈયા કુમાર ,ઉમર ખાલિદ ,તથા 8 સ્ટુડન્ટ્સને 15 માર્ચના રોજ હાજર થવા દિલ્હી કોર્ટનું સમન્સ : જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી કેમ્પસમાં 2 ફેબ્રુઆરી 2016 ના રોજ દેશ વિરોધી સૂત્રો પોકાર્યા હતા

ન્યુદિલ્હી : 2 ફેબ્રુઆરી 2016 ના રોજ જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી  કેમ્પસમાં દેશ વિરોધી સૂત્રો પોકારવાના આરોપસર કનૈયા કુમાર ,ઉમર ખાલિદ ,અનિર્બન ભટ્ટાચાર્ય તથા 7 સ્ટુડન્ટ્સ ઉપર દેશદ્રોહનો આરોપ લગાવાયો હતો.તથા ધરપકડ કરાઈ હતી.જેના થોડા દિવસો બાદ તમામને જામીન ઉપર મુક્ત કરાયા હતા.

ઉપરોક્ત કેસ મામલે દિલ્હી કોર્ટે ચાર્જશીટની નોંધ લીધી છે.જેના અનુસંધાને આરોપીઓને 15 માર્ચના રોજ હાજર થવા સમન્સ પાઠવાયું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:30 pm IST)