Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વિજયભાઇ રૂપાણીએ આણંદ પાસે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેકટર સાથે તાત્કાલિક ટેલીફોનિક વાતચીત કરી સૂચનાઓ આપી

મૃતકોના પરિવારજનોને યોગ્ય સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે

રાજકોટ તા ૧૬ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત માં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરી છે.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેકટર સાથે તાત્કાલિક ટેલીફોનીક વાતચીત કરી સૂચનાઓ આપી છે. આ માર્ગ અકસ્માતનો ભોગ બની જાન ગુમાવનારા લોકોના પરિવારજનોને યોગ્ય સહાય રાજય સરકાર દ્વારા કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું છે.

(3:09 pm IST)