Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોવેકસીનમાં ગાયના વાછરડાનું સીરમ : વિપક્ષે ઉઠાવ્યા સવાલઃ કંપનીની સ્પષ્ટતા...

સેલ્સ વિકસીત કરવામાં થયો છે ઉપયોગ

નવી દિલ્હીઃ કોરોના મહામારી પર કાબુ લેવા માટે દેશમાં ૨૧ જુનથી વિનામૂલ્યે રસીકરણ કરવાની તૈયારી ચાલુ છેઃ આ દરમિયાન ભારત બાયોટેક કંપનીની કોરોના વેકસીન કોવેકસીનને બનાવવામાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ થવાના મામલે ચર્ચા થઇ રહી છેઃ વિપક્ષોએ આકરા સવાલો ઉઠાવતા કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, સેલ્સ વિકસીત કરવામાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ વેકસીનના ફાઇનલ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ થયો નથીઃ કોંગ્રેસે આજે એવો દાવો કર્યો છે કે, વેકસીનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ થયો છેઃ સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યુ છે કે તથ્યો સાથે છેડછાડ કરી ખોટી રીતે દાવો થયો છે

(4:03 pm IST)