Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી : શોક વ્યકત કરી મૃતકોને રૂપિયા-બે લાખની સહાય જાહેર કરી

મૃતકોને રૂપિયા બે-બે લાખની સહાય મુખ્યમંત્રીશ્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરતા વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર તા. ૧૬ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર  ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યકત કરી અકસ્માતમાં માર્યા ગયેલા વ્યક્તિઓને રૂ. ર લાખની સહાય આપવાની ઘોષણા કરી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ  આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતક વ્યક્તિને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રાજ્ય સરકાર દ્વારા રૂ. બે લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

            મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત  અને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેકટર સાથે તાત્કાલિક ટેલીફોનીક વાતચીત કરી સૂચનાઓ આપી હતી.

(5:47 pm IST)