Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય

પ્રધાનમંત્રી મોદી દ્વારા 'અગ્નિપથ યોજના'ની જાહેરાતના સંદર્ભમાં ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 'અગ્નિપથ યોજના'ની જાહેરાતના સંદર્ભમાં, આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
ગૃહમંત્રીના કાર્યાલયે ટ્વીટ દ્વારા કહ્યું કે "'અગ્નિપથ યોજના' એ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોદીજીનો એક સ્વપ્નદ્રષ્ટા અને આવકારદાયક નિર્ણય છે. આ સંદર્ભમાં ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં આ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
ગૃહ મંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે "પ્રધાનમંત્રી  મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી, 'અગ્નિપથ યોજના' દ્વારા પ્રશિક્ષિત યુવાનો આગળ પણ દેશની સેવા અને સુરક્ષામાં યોગદાન આપી શકશે. આ નિર્ણય અંગે વિગતવાર આયોજનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

(9:20 pm IST)