Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મધ્‍યપ્રદેશના છિંદવાડામાં જાનૈયાઓને લઇને જતી જીપ કુવામાં ખાબકી : સાતના મોત

ભોપાલ,તા. ૧૬: મધ્‍ય પ્રદેશના છિંદવાડામાં મોટી દૂર્ઘટના બની છે. જાનૈયાઓ ભરેલુ વાહન કુવામાં પડ્‍યુ હતુ. આ દૂર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે જયારે છ લોકો ઘાયલ થયા છે.

જાણકારી અનુસાર છિંદવાડા જિલ્લાના મોહખેડા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આ દૂર્ઘટના બની હતી. વિસ્‍તારના કોડામઉ ગામમાં જાનૈયાઓ ભરેલી બોલેરો જીપ કુવામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. મૃતકમાં એક બાળક પણ સામેલ છે. જયારે આ દૂર્ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. ગુરૂવાર સવાર સુધી સાત શબ અને બોલેરો કુવામાંથી કાઢવામાં આવી હતી.પોલીસ અનુસાર એક જાન ભાજીપાની ગામમાં ગઇ હતી. બુધવાર મોડી રાત્રે જાનમાંથી પરત ફરતી એક બોલેરો બાઇક સવારને બચાવવાના ચક્કરમાં કુવામાં ખાબકી હતી. આ દરમિયાન તેમાં સવાર માસૂમ બાળક સહિત સાત લોકોના મોત થયા હતા. દૂર્ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસ ઘટનાસ્‍થળે પહોચી ગઇ હતી અને તેમણે રેસક્‍યૂ કરી બોલેરોને બહાર કાઢવામાં આવી હતી. 

(3:50 pm IST)