Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભગવાનની દયાથી મને સારું છે : હું સ્વસ્થ થઇ રહ્યો છું : ચિંતા કરવા જેવું નથી : સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એમ.આર.શાહએ હાર્ટ એટેક પછી વિડિયો મારફતે મેસેજ આપ્યો

ન્યુદિલ્હી : જસ્ટિસ શાહ પોતે એક વીડિયોમાં દેખાયા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે તેઓ ભગવાનની દયાથી મને સારું છે. હું સ્વસ્થ થઇ રહ્યો છું. ચિંતા કરવા જેવું નથી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર.શાહને હાર્ટ એટેક આવ્યા બાદ સ્થિર છે.

જસ્ટિસ શાહ પોતે એક વીડિયોમાં દેખાયા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે તેઓ ભગવાનની કૃપાથી સ્થિર છે અને સારું થઇ રહ્યું છે.

"ભગવાનની કૃપાથી, હું ઠીક છું, હું સ્થિર છું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું દિલ્હી પહોંચીશ. ભગવાન બધાને આશીર્વાદ આપે," તેણે કહ્યું.

 ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં હતા ત્યારે જસ્ટિસ શાહને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને સારવાર માટે દિલ્હી પાછા લાવવામાં આવ્યા હતા.

શરૂઆતમાં કેટલાક મીડિયા સંગઠનોએ અહેવાલ આપ્યો હતો કે જજનું નિધન થઈ ગયું છે પરંતુ પછીથી તેને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:57 pm IST)