Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પાકિસ્તાન જેલમાં બંધક બનાવાયેલ ૨૦ માછીમારોને મુકત કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : જાણવા મળતી વિગત મુજબ ભારતીય હદમાંથી પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા બોટ અને ખલાસીઓનું અપહરણ કરવામાં આવતુ હોય તેને લઈને પાકિસ્તાન જેલમાં આશરે ૬૦૦ થી ૬૫૦ જેટલા માછીમારોને જેલમાં રાખવામાં આવેલ હોય જેમાંથી ૨૦ માછીમારોને મુકત કરવામાં આવશે અને તા.૨૦ના રોજ વાઘા બોર્ડરે પહોંચશે અને ત્યાં ભારતીય એજન્સીઓને સોંપવામાં આવશે ત્યારબાદ ગુજરાત - સૌરાષ્ટ્રમાં વાઘા બોર્ડરેથી લાવવામાં આવશે એવુ જાણવા મળે છે.

(5:58 pm IST)