Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

નામના પ્રથમ અક્ષરથી ‘નેમ એસ્‍ટ્રોલોજી' દ્વારા વ્‍યકિતના નામ સાથે તેના ભાગ્‍ય વિશે જાણી શકાય

જેમની કિસ્‍મત અચાનક ચમકે છે તેને રાતોરાત સફળતા મળે

નવી દિલ્‍હીઃ જ્યોતિષની નેમ એસ્ટ્રોલોજી શાખા ભવિષ્ય વિશે ઘણી મહત્વની વાતો જણાવે છે. નેમ એસ્ટ્રોલોજીની મદદથી માત્ર નામના પ્રથમ અક્ષરથી વ્યક્તિની પર્સનાલિટી અને ભવિષ્ય વિશે ઘણી વાતો જાણી શકાય છે. આજે અમે નેમ એસ્ટ્રોલોજી દ્વારા એવા લોકો વિશે જણાવીશું, જેની કિસ્મત અચાનક ચમકે છે અને તેને રાતો-રાત સફળતા મળે છે.

જે લોકોનું નામ 'A' અક્ષરથી શરૂ થાય છે, સામાન્ય રીતે તેનો ભાગ્યોદય 25 વર્ષની ઉંમર બાદ થાય છે અને તે રાતો-રાત જાણીતા બની જાય છે. આ લોકો ખુબ મહેનતુ હોય છે અને જીવનમાં ઊંચો મુકામ હાસિલ કરે છે.

જે લોકોનું નામ  'C' અક્ષરથી શરૂ થાય છે તે દરેક પરેશાની સામે લડી આગળ વધે છે અને પોતાનું લક્ષ્ય હાસિલ કરે છે. તે હિંમત હારતા નથી અને આ તેની સૌથી મોટી ખુબી હોય છે. તેને અચાનક સફળતા મળે છે.

જે લોકોનું નામ 'H' અક્ષરથી શરૂ થાય છે, તે ખુબ સારા લીડર, મેનેજર સાબિત થાય છે. તે પોતાના જીવનમાં મોટી સફળતાઓ મેળવે છે. પરંતુ આ નામના જાતક થોડા આળસુ હોય છે પરંતુ તેનામાં ટેલેન્ટની કોઈ કમી હોતી નથી.

'K' અક્ષરથી જે લોકોનું નામ શરૂ થાય છે, તે લગ્ઝરી લાઇફનો ખુબ આનંદ લે છે. તે મુશ્કેલીથી ડરતા નથી અને પોતાની મહેનતથી સફળતા હાસિલ કરે છે. પરંતુ તેના દુશ્મનોની સંખ્યા વધુ હોય છે.

'S' અક્ષરથી જે લોકોના નામ શરૂ થાય છે તે દરેક કામ સારી રીતે કરે છે. તેમાં ગજબની સકારાત્મકતા હોય છે. તે સારા પોલીટિશિયન અને વક્તા બને છે. ખુબ પૈસા કમાઈ છે અને 35 વર્ષની ઉંમર બાદ સફળ થાય છે.

(6:23 pm IST)