Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પહેલગામમાં મોટી દૂર્ઘટના :ITBPના જવાનોને લઇ જતી બસ ખીણમાં પડી, 6 જવાન શહીદ : 39 લોકો સવાર હતા

બસમાં સવાર જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાંથી પરત ફરી રહ્યા હતા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મોટી દૂર્ઘટના સર્જાઇ છે. આઇટીબીપીના જવાનોને લઇને જઇ રહેલી બસ ચંદનવાડી વિસ્તારમાં ખીણમાં પડી ગઇ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 6 જવાન શહીદ થયા છે. દૂર્ઘટનામાં કેટલાક જવાનના મોતની આશંકા છે અને સુરક્ષાકર્મી ગંભીર રીતે ઘાયલ પણ છે.

ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર બસમાં 39 જવાન સવાર હતા. જેમાંથી આઇટીબીપીના 37 અને જમ્મુ કાશ્મીર પોલીસના 2 જવાન હતા. બસની બ્રેક ફેલ થતા આ દૂર્ઘટના બની હતી.

બસમાં સવાર જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાંથી પરત ફરી રહ્યા હતા. ઘટનાસ્થળ માટે આઇટીબીપીના કમાન્ડોઝને રવાના કરવામાં આવ્યા છે જેથી રેસક્યૂ ઓપરેશનમાં ઝડપ લાવી શકાય

(6:56 pm IST)