Gujarati News

Gujarati News

News of Saturday, 16th September 2023

કોરોનાનો બાપ નીકળ્‍યો નિપાહ વાયરસ : ૪૦થી ૭૦% છે મૃત્‍યુદર

ICMR કર્યા એલર્ટ : લોકોને વારંવાર હાથ ધોવા અને માસ્‍ક લગાવવાની અપીલ

નવી દિલ્‍હી, તા.૧૬: દેશમાં કોરોના વાયરસ બાદ નિપાહ વાયરસની એન્‍ટ્રીએ લોકોને ડરાવી દીધા છે. કેરળમાં નિપાહ વાયરસના કેસ મળવાની સાથે જ મેડિકલ સંસ્‍થાઓએ ચેતાવણી જાહેર કરવાની શરૂ કરી દીધી છે. આ વચ્‍ચે ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્‍યું છે કે નિપાહ વાયરસ કોરોના કરતા ખૂબ વધારે ખતરનાક છે.

નિપાહથી સંક્રમણમાં મળત્‍યુ દર ૪૦થી ૭૦ ટકા છે. જ્‍યારે કોરોનાના ૨થી ૩ ટકા છે. આ કોરોના વાયરસના કારણે થયેલા પહેલા મળત્‍યુ કરતા ખૂબ વધારે છે. કેરળમાં હાલ નિપાહ વાયરસના ૬ કેસ સામે આવી ચુકયા છે. જેમાંથી ૨ લોકોના મોત થઈ ચુકયા છે. કોઝિકોડ જિલ્લામાં ૨૪ સપ્‍ટેમ્‍બર સુધી દરેક શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

ICMRના ડાયરેક્‍ટર રાજીવ બહલે કહ્યું કે કેરળમાં નિપાહ વાયરસને ફેલાતો અટકાવવા માટે બધા પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, બધા દર્દી એક સંક્રમિત દર્દીના સંપર્કમાં છે. વિવિધ ક્ષેત્રોના નિષ્‍ણાંતો વાળી એક કેન્‍દ્રીય ટીમ પણ સ્‍થિતિની તપાસ કરવા અને ઉપચારાત્‍મક ઉપાય જણાવવા માટે કોઝિકોડ જિલ્લામાં પહોંચી ગઈ છે. કોન્‍ટેક્‍ટ ટ્રેસિંગ હેઠળ ૧૦૦૦થી વધારે લોકોની જાણકારી મેળવવામાં આવી છે.

ICMR અધિકારીએ નિપાહ વાયરસને રોકવા અને ફેલાતો અટકાવવા માટે ઉઠાવવામાં આવતા દરેક પગલા વિશે પણ જાણકારી આપી છે.

તેમણે વારંવાર હાથ ધોવા અને ફેસ માસ્‍ક પહેરવા કહ્યું છે. રાજીવ બહલે કહ્યું, ૪-૫ ઉપાય છે તેમાંથી અમુક બિલકુલ એવા છે જેવા કે કોવિડને રોકાવા માટે ઉઠાવવામાં આવ્‍યા હતા. જેમ કે વારંવાર હાથ ધોવા, માસ્‍ક લગાવવું.

તેમણે આગળ જણાવ્‍યું, નિપાહ વાયરસના ફેલાવવું મુખ્‍ય કારણ છે સંક્રમિત વ્‍યક્‍તિના સંપર્કમાં આવવુ અને તેના બાદ અન્‍ય વ્‍યક્‍તિઓનું બીજા વ્‍યક્‍તિના સંપર્કમાં આવવું જે સંક્રમિતને મળી ચુકયું છે. તેનાથી બચવા માટે ડિસ્‍ટન્‍સ જાળવવું જરૂરી છે. આઈસોલેશન પણ બચવાની એક રીત છે. લક્ષણ દેખાવવા પર વ્‍યક્‍તિ પોતાને અલગ કરી લે અને તરત ડોક્‍ટરોના સંપર્કમાં આવે.

(12:06 pm IST)