Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

આજે કેદારનાથ, યમનોત્રીના બંધ થયા કપાટ : હવે બદ્રીનાથના દરવાજા 19મીએ થશે બંધ

ગઈકાલે ગંગોત્રીના દરવાજા ભક્તો માટે બંધ કરાયા

ઉતરાખંડના ચાર ધામ પૈકીના કેદારનાથ અને યમનોત્રીના દરવાજા આજથી ભક્તો માટે બંધ થશે. તો બદ્રીનાથના દરવાજા આગામી 19મી નવેમ્બરથી બંધ કરાશે. દર વર્ષે શિયાળામાં ચાર ધામના દરવાજા ભક્તો માટે બંધ કરવામાં આવે છે. ગઈકાલે ગંગોત્રીના દરવાજા ભક્તો માટે બંધ કરાયા છે.

(11:05 am IST)