Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આજે દેશમાં ૨૮૭ દિવસમાં સૌથી ઓછા કોરોનાના કેસ નોંધાયા

૧૯૭ લોકોના મોત : કોરોનાના ૮,૮૬૫ નવા કેસ

નવી દિલ્હી તા. ૧૬ : દેશમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે ઓછા થઈ રહેલા દેખાય છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮,૮૬૫ નવા કેસ સામે આવ્યા છે જે છેલ્લા ૨૮૭ દિવસોમાં સૌથી ઓછા છે. જયારે એક જ દિવસમાં ૧૯૭ લોકોના મોત થયા છે. જયારે રીકવરી રેટ ૯૮.૨૭્રુ છે જે ગયા માર્ચ ૨૦૨૦માં સૌથી વધુ છે. કોરોનાના સક્રિય કેસની વાત કરો તો ૧,૩૦,૭૯૩ છે જે છેલ્લા ૫૨૫ દિવસોમાં સૌથી વધુ છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૧,૯૭૧ લોકો સ્વસ્થ થયા છે. હવે સુધી કોરોનાથી કુલ ૩, ૩૮,૬૧,૭૫૬ લોકો સાજા થયા છે. ડેલી પોજિટિવિટી રેટ ૦.૮૦ ટકા છે જે છેલ્લા ૪૩ દિવસોથી ૨ ટકાથી નીચે છે. વીકલી પોજિટિવિટી રેટ ૦.૯૭ ટકા છે જે છેલ્લા ૫૩ દિવસોથી ૨ ટકાથી નીચે છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૯,૭૫,૪૬૯ વેકિસનેશન થયું. અત્યાર સુધી કુલ ૧,૧૨,૯૭,૮૪,૦૪૫ વેકિસનેશન થયુ છે.

(10:51 am IST)