Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

યોગી સરકાર ગૌ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરશે : ૨૪ કલાક સુવિધા

લખનૌ,તા. ૧૬ : યુપીમાં બીમાર ગાયોના ઇલાજ માટે ૨૪ કલાક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા યોગી સરકારે નિર્ણય કર્યો છે. ગાયોને તુરંત ચિકિત્સા માટે અભીનવ એમ્બ્યુલન્સ સેવા પ્રોજેકટ દ્વારા એમ્બ્યુલન્સમાં  પશુ ડોકટર તથા સ્ટાફના બે સભ્યો હાજર રહેશે. યુપીના પશુપાલન મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીએ જણાવેલ કે ૫૧૫ એમ્બ્યુલન્સ તૈયાર છે. જેનુ કોલ સેન્ટર લખનૌમાં રહેશે. એમ્બ્યુલન્સ સેવા ડીસેમ્બરથી શરૂ થશે. શહેરોમાં ગાય પાળવા માટે ગૌશાળામાંથી મફત ગાય દેવાનું કામ પણ નિગમ કરી રહ્યું છે.

(2:32 pm IST)