Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

યુપી ચૂંટણી માટે મોટા ષડયંત્રો થઇ રહ્યા છે: અખિલેશ યાદવ

લખનૌ: ચંદ્રશેખર આઝાદ રાવણની ભીમ આર્મી પાર્ટી સાથે યુપીમાં ગઠબંધન ન કરવાને લઈને અખિલેશ યાદવે કહ્યું છે કે તેની પાછળ કોઈ ષડયંત્ર હોય તેવું લાગે છે.  મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ચંદ્રશેખર આઝાદ સાથેની  મારી વાતચીતમાં મેં તેમને બે વિધાનસભા સીટો આપવાની વાત કરી હતી.  મારી સાથેની મુલાકાત દરમિયાન તેઓ આ માટે સંમત થયા હતા.  પરંતુ બહાર આવ્યા પછી તેમણે ક્યાંક વાત કરી અને કહ્યું કે અમે માત્ર બે બેઠકો પર ચૂંટણી લડી શકીએ નહીં. તેમની વાત દિલ્હીમાં કોઈ સાથે થઈ કે ક્યાં વાત થઈ, મને ખબર નથી. પરંતુ અખિલેશ યાદવે કહ્યું કે યુપી ચૂંટણી માટે મોટા ષડયંત્રો થઈ રહ્યા છે.

 

(3:14 pm IST)