Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગાયે 3 આંખવાળા વાછરડાને જન્મ આપ્યો : લોકોની ભારે ભીડ એકત્ર :છત્તીસગઢની અજીબોગરીબ ઘટના

ઘણા લોકો તો 3 આંખવાળા વાછરડાને ભગવાનનો અવતાર માની બેઠા

છત્તીસગઢમાં એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક ગાયે 3 આંખવાળા વાછરડાને જન્મ આપ્યો છે. આ બંને આંખવાળા વાછરડાને જોયા બાદ લોકો ખૂબ હેરાન છે.

એક રિપોર્ટ મુજબ રાજનાંદગાંવ જિલ્લાના ગંડઈ ગામમાં એક અવિશ્વનિય ઘટના બની છે. અહીં એક ગાયે 3 આંખવાળા વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડાને જોવા માટે અહીં લોકોની ભારે ભીડ એકત્ર થઈ રહી છે. ઘણા લોકો તો 3 આંખવાળા વાછરડાને ભગવાનનો અવતાર માની બેઠા છે. જોવા માટે આવેલા કેટલાક લોકો વાછરડાની પૂજા પણ કરી રહ્યા છે અને પૈસાઓનો ચડાવો પણ કરી રહ્યા છે. 14 જાન્યુઆરીની સાંજે લગભગ 7 વાગ્યે એક ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો.

મકરસંક્રાંતિ હોવાના કારણે લોકોની આસ્થા વાછરડા પ્રત્યે વધુ ગાઢ થઈ ગઈ છે. ગામના લોકોએ એવું પહેલી વખત જોયું એટલે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મોટા ભાગના લોકો તેને ધાર્મિક આસ્થા સાથે જોડી રહ્યા છે. સાવધાનીના પગલાં રૂપે વાછરડાનું ચેકઅપ સ્થાનિક પશુ ચિકિત્સક પાસે કરાવવામાં આવ્યું છે. હાલમાં તો તેને કોઈ પણ પ્રકારની પરેશાની હોવાનું કહેવામાં આવ્યું નથી. વાછરડાના જન્મની ખબર આસપાસ જંગલમાં ફેલાતી આગની જેમ ફેલાઈ ગઈ તો તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે.

વાછરડાની ત્રણ આંખો હોવાના કારણે તેને ધાર્મિક આસ્થા સાથે પણ જોડવામાં આવી જેના કારણે લોકોએ પૈસા પણ ચડાવ્યા અને પૂજા અર્ચના પણ કરી. જોકે એવું પહેલી વખત થયું નથી જ્યારે આવી ઘટના આપણી સામે આવી હોય. આ પહેલા પણ ત્રણ પગ, 3 કાન, બે માથાવાળા પશુઓ જન્મવાની ઘટના સામે આવી ચૂકી છે પરંતુ જ્યારે પણ આવી ઘટના સામે આવે છે તો લોકો તેને ભગવાનનો ચમત્કાર સમજી બેસે છે. પશુ પાલક નીરજ ચંદેલનું કહેવું છે કે વાછરડાને જોઈને પણ વિશ્વાસ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. વાછરડાને જોવા માટે આસપાસના ગામના લોકો એકત્ર થઈ રહ્યા છે.

(10:40 pm IST)