Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

લખનૌને હચમચાવવાનું ષડયંત્ર

યુ.પી.ના સંખ્યાબંધ નેતાઓને નિશાન બનાવવાના હતા : ૨ ઝડપાયા

લખનૌ તા. ૧૭ : ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉથી મોટા સમાચાર બહાર આવ્યા છે. બોમ્બ બ્લાસ્ટથી લખનૌ શહેરને હચમચાવવા માટે કેરળથી આવેલા પીએફઆઈ સંગઠનના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. યુપીના સંખ્યાબંધ મોટા નેતાઓને નિશાન બનાવવાના હોવાના પ્રાથમિક અહેવાલો મળે છે. આ આતંકીઓ સાથેનું બાંગ્લાદેશનું જોડાણ પણ મળી આવ્યું છે. પકડાયેલા આરોપીઓ પી.એફ.આઈ. સંગઠનના સભ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

(11:16 am IST)