Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ઇફકો દ્વારા રામ મંદિર માટે રૂ. ર.પ૧ કરોડનું દાન

રાજકોટ તા. ૧૭: દેશની ટોચની સહકારી સંસ્થા ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર્સ કો-ઓપરેટીવ લિ. દ્વારા અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિર માટે રૂ. ર.પ૧ કરોડનું દાન જાહેર કરાયું છે.  આ દાન આજે નવી દિલ્હી ખાતે વિહિપના રાષ્ટ્રીય નેતાઓને સુપ્રત (ચેક કરાશે)

દેશમાં કોઇ સહકારી સંસ્થા દ્વારા મંદિર નિર્માણ માટે માતબર દાન અપાયું હોય તેવો પ્રથમ પ્રસંગ છે. આજે ઇફકોની બોર્ડ બેઠકમાં ચેરમેન બી.એસ.નાકાઇ, વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી, એમ.ડી. ડો. યુ. એસ. અવસ્થ વગેરેની હાજરીમાં આ નિર્ણય થયો છે.

(3:02 pm IST)