Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

પૂર્વ રક્ષામંત્રી દિવંગત મનોહર પર્રિકરનાં પુત્ર ઉત્પલ કોરોના સંક્રમિત : હોસ્પિટલમાં એડમિટ

પણજી :પૂર્વ સંરક્ષણ પ્રધાન અને ભાજપના દિવંગત નેતા મનોહર પર્રિકરનાં મોટા પુત્ર ઉત્પલનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રવિવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા ઉત્પલે ટ્વિટ કર્યું કે, "ડોકટરોની સલાહ અને યોગ્ય સારવાર માટે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મંગલ કામના માટે તમારો આભાર."

કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અને આયુષ શ્રીપદ નાયકને પણ ગયા અઠવાડિયે કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ઉત્તર ગોવા બેઠક પરથી લોકસભા સાંસદ છે.

(9:22 am IST)