Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાનું ફરી અટ્ટહાસ્યઃ બે દિ'માં ૧૩ મોત

કોરોનાની સારવાર દરમ્યાન ગઇકાલે ૫ તથા આજે ૮ દર્દીના જીવ લીધા : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં ૫ મોત પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિ : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૪૦ બેડ ખાલી

રાજકોટ, તા. ૧૭: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં ફરી વધુ થવા પામ્યો છે. ગઇકાલે ૫ મૃત્યુ થયા હતા. જયારે આજે માત્ર ૮ દર્દીઓનાં મોત થયા  છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી   એક પણ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૬નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૭ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૮ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૮નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૫  પૈકી એક  મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૨૧૪૦ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

(11:45 am IST)