Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ખામીવાળા એરબેગ કન્‍ટ્રોલરઃ મારુતિ સુઝૂકીએ ૧૭,૩૬૨ કાર પાછી મગાવી

મુંબઈ, તા.૧૮: મારુતિ સુઝૂકી ઈન્‍ડિયાએ કહ્યું છે કે અલ્‍ટો K10, બ્રેઝા અને બલેનો જેવા મોડેલની ૧૭,૩૬૨ કારને તેણે ચકાસણી માટે પાછી મગાવી છે અને ખામીવાળા એરબેગ કન્‍ટ્રોલ મફતમાં બદલીને તે ગ્રાહકોને પાછી આપી દેશે.

દેશની આ સૌથી મોટી કારઉત્‍પાદક કંપનીએ જણાવ્‍યું છે કે ૨૦૨૨ની ૮ ડિસેમ્‍બર અને ૨૦૨૩ની ૧૨ જાન્‍યુઆરી વચ્‍ચેના સમયગાળામાં બનાવવામાં આવેલી અલ્‍ટો K10, S-Presso, Eeco, બ્રેઝા, બલેનો અને ગ્રેન્‍ડ વિતારા મોડેલની કારોના એરબેગ કન્‍ટ્રોલરમાં ખામી હોવાનું માલૂમ પડ્‍યું છે.

(4:02 pm IST)