Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

સોમવારથી ઉત્તર રેલ્વે દ્વારા યાત્રીઓ માટે 35 મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરાશે

રિઝર્વેશન વગરની ટિકિટ સાથે 22 ફેબ્રુઆરીથી ટ્રેનોમાં મુસાફરી કરી શકશે.

નવી દિલ્હી : ટ્રેનમાં મુસાફરોની સંખ્યા યાત્રી સેવાઓમાં સતત વધારો કરતાં ઉત્તરરેલવે તંત્રએ હવે 35 મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી રહ્યું છે. રેલ્વે મુસાફરો પણ રિઝર્વેશન વગરની ટિકિટ સાથે 22 ફેબ્રુઆરીથી ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. જો કે આ સુવિધા ફક્ત પસંદગીની ટ્રેનોમાં જ મળશે.  રેલવે  પ્રધાન પિયુષ ગોયલે પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મુસાફરોની સેવાઓમાં સતત વધારો કરતાં ભારતીય રેલ્વે 22 ફેબ્રુઆરીથી 35 અન-રિઝર્વ ટિકિટના મુસાફરો માટે મેઈલ અને વિશેષ એક્સપ્રેસ ટ્રેનની સેવા કરશે

(12:00 am IST)