Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

દેશભરમાં ર૬ ફેબ્રુ.એ ટ્રક ટ્રાન્સપોર્ટસની હડતાલ

ડીઝલના વધતા ભાવ અને સ્ક્રેપિંગ પોલીસી તથા ઇ-વે બિલને લઇને ૧ કરોડ ટ્રકના પૈડા થંભી જશે

નવી દિલ્હી, તા. ૧૮ : ડીઝલના વધતા ભાવ અને સાથે ઈ-વે બિલ સંબંધિત મુદ્દાની સાથે સાથે સ્ક્રેપિંગની પોલીસી જેવા મુદ્દાઓથી નારાજ ટ્રક ટ્રાન્સપોર્ટ્સે હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. એક તરફ ધ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે  પહેલાં પોતાની માંગને લઈને સરકારને ૧૪ દિવસનો સમય આપીને દેશભરમાં હડતાલની જાહેરાત કરી છે. આ સમયે જ વ્યાપારિક સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ  અને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ્સ વેલફેર એસોસિયેશને તેનાથી અલગ ૨૬ ફેબ્રુઆરીએ એક દિવસ ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. આ સમયે ૨ હડતાલનું આયોજન થઈ શકે છે. પહેલી હડતાલ ૨૬ તારીખે થશે તો અન્ય હડતાલ માંગ ન માનવાની સ્થિતિમાં થોડા દિવસ બાદ જાહેર કરાશે. 

AIMTCની વાત કરીએ તો તેઓએ પહેલાં માંગ ન માનવાની સ્થિતિમાં દેશભરમાં હડતાલની જાહેરાત કરી હતી. પછી ૨૬ ફેબ્રુઆરીએ થનારી હડતાલથી પોતાને અલગ કરી લીધા. ખ્ત્પ્વ્ઘ્ ના મહાસચિવે કહ્યું કે એક રાજનીતિક સંગઠનની સાથે જોડાયેલા એક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની સાથે વ્યાપારી સંગઠને ૨૬ ફેબ્રુઆરીએ ઈ-વે બિલના મુદ્દા પર દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી. ગર્વનિંગ કાઉન્સિલમાં એવી કોઈ ચર્ચા થઈ નથી અને આ ફકત કેટલાક વ્યકિતઓનો નિર્ણય છે. તેઓએ કહ્યું કે આ નિર્ણયમાં અમારો ભાગ નથી અને અમારા ૯૫ લાખ ટ્રક આ દિવસે દેશમાં સપ્લાય ચાલુ રાખશે અને કામ કરશે. આ સાથે પરિવહન કંપનીના બુકિંગ ઓફિસ પણ ખુલ્લા  રહેશે.

AIMTCની ગર્વનિંગ કાઉન્સિલની આપાત બેઠકમાં કરાતી ચિંતાને ધ્યાનમાં રાખીને સામાન્ય માણસ સહિતને પ્રભાવિત કરનારી આ મુદ્દા સાથે સમાધાન માટે સરકારને વાર્તા પ્રક્રિયા શરૂ કરવા માટે ૧૪ દિવસનો સમય આપ્યો છે. જો સરકાર ભારતના સડક પરિવહન ક્ષેત્રના મુદ્દા પર સંવેદનશીલ બનશે નહીં તો આ હડતાલ માટે ગર્વનિંગ કાઉન્સિલની એક વધુ બેઠક બોલાવાશે અને તારીખ નક્કી કરાશે.

કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના મહાસચિવના જણાવ્યા અનુસાર તેમની માંગને લઈને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિયેશનનું સમર્થન મળ્યું છે. એટવાના દેશભરમાં  કરોડથી વધારે ટ્રાન્સપોર્ટર અને કુરિયર કંપની ટ્રાન્સપોર્ટના સભ્ય છે. ૨૬ ફેબ્રુઆરીએ ૧ કરોડ ટ્રક કામ નહીં કરે.

(3:07 pm IST)