Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

TIME મેગેઝીન દ્વારા જાહેર કરાયેલા દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદનો સમાવેશ : નવા ઇતિહાસનું સર્જન કરવા સક્ષમ આ 100 લોકોમાં 5 ભારતીય મૂળના નાગરિકોએ પણ સ્થાન મેળવ્યું

ન્યુદિલ્હી : TIME મેગેઝીન દ્વારા જાહેર કરાયેલા 2021 સાલના દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદનો સમાવેશ કરાયો છે.તેમજ નવા ઇતિહાસનું સર્જન કરવા સક્ષમ આ 100 લોકોમાં 5 ભારતીય મૂળના નાગરિકોએ પણ સ્થાન મેળવ્યું છે.
 
ભારતના ચંદ્રશેખર આઝાદ ઉપરાંત વિદેશોમાં વસતા ભારતીય મૂળના 5 નાગરિકોએ પણ સ્થાન મેળવ્યું છે.જેમાં ટવીટરના વકીલ સુશ્રી વિજયા ગડે ,બ્રિટનના ફાયનાન્સ મિનિસ્ટર શ્રી ઋષિ સુનક ,ઈન્સ્ટાકાર્ટનાં  સી.ઈ.ઓ.શ્રી અપૂર્વ મેહતા ,ગેટ અઝ પીપીઆઈના સુશ્રી શિખા ગુપ્તા ,તથા અપસોલ્વના શ્રી રોહન પવુલુરીનો સમાવેશ થાય છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:37 pm IST)